હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સોમનાથ અને ભાલકાતીર્થ ખાતે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુની મુલાકાત સંદર્ભે ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર રાજદેવસિંહ ગોહિલના અધ્યસ્થાને બેઠક યોજાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ તા. ૬ ઓગસ્ટ ના રોજ સોમનાથ મહાદેવના અને ભાલકાતીર્થના દર્શન-પુજન કરશે.
બેઠકમાં જિલ્લા કલેકટરએ ઉપરાષ્ટ્રપતિની સોમનાથ મુલાકાત દરમિયાન સુચારૂ આયોજન અને વ્યવસ્થા અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર બી.વી.લીંબાસીયા, નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાસ જાટ, એમ.એમ.પરમાર, વેરાવળ પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.