ઉપરાષ્ટ્રપતિ તા. ૬ ઓગસ્ટ ના રોજ સોમનાથ મહાદેવ અને ભાલકાતીર્થના દર્શન-પુજન કરશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

  સોમનાથ અને ભાલકાતીર્થ ખાતે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુની મુલાકાત સંદર્ભે ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર રાજદેવસિંહ ગોહિલના અધ્યસ્થાને બેઠક યોજાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ તા. ૬ ઓગસ્ટ ના રોજ સોમનાથ મહાદેવના અને ભાલકાતીર્થના દર્શન-પુજન કરશે.

બેઠકમાં જિલ્લા કલેકટરએ ઉપરાષ્ટ્રપતિની સોમનાથ મુલાકાત દરમિયાન સુચારૂ આયોજન અને વ્યવસ્થા અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર બી.વી.લીંબાસીયા, નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાસ જાટ, એમ.એમ.પરમાર, વેરાવળ પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. 

Related posts

Leave a Comment